દિલ્હી-
વિશ્વ પ્રસિદ્ધ શ્રીબદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 18મી મેના રોજ ખૂલશે. આ તારીખે બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે સાંજે સવા ચાર વાગ્યે ખૂલશે. વસંત પંચમી પર નરેન્દ્ર નગર સ્થિત રાજ પરિવારના તીર્થ પુરોહિતોએ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત વિધિ-વિધાન અને પૂજા પાઠની સાથે કરી. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત નરેન્દ્ર નગર રાજ મહેલથી ટિહરી નરેશ મનુજેંદ્ર શાહે કરી છે.
ઉત્તરાખંડના ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના સૂત્રોએ કહ્યું કે ભગવાન વિષ્ણુને સમર્પિત બાબા બદ્રીનાથ ધામના કપટા નક્કી તારીખને બ્રહ્મ મુહૂર્તમાં ૪ઃ૧૫ વાગ્યે ખોલાશે. આપને જણાવી દઇએ કે ૧૯મી નવેમ્બરના રોજ શિયાળામાં બદ્રીનાથના કપાટ બંધ થયા હતા. દર વર્ષે ઠંડીની સીઝનમાં ભગવાન બદ્રીનાથના કપાટ બંધ કરી દેવામાં આવે છે.
જ્યારે ફરીથી ભગવાન બદ્રીનાથના કપાટ ખૂલે છે તો મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં આવે છે. આ હિન્દુઓના ચાર મહત્વપૂર્ણ ધામોમાંથી એક છે. કોરોના સંકટના લીધે આ યાત્રા સાથે જાેડાયેલી ગાઇડલાઇન્સ પણ ટૂંક સમયમાં રજૂ કરી શકાય છે. યાત્રાના રજીસ્ટ્રેશનને લઇ પણ ટૂંક સમયમાં જ નવી માહિતી મળી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments