અમદાવાદ-
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજે મૃત માછલીઓ મળી આવી હતી. પાણીમાં ઓક્સિજનના અભાવે આ માછલીઓ ના મૃત્યુ થયા હોવાનું અનુમાન છે. હાલમાં વોટર ક્લીનર મશીનરી ધ્વારા આ મૃત માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે સાબરમતીનું પાણી દૂષિત થતાં પાણીમાં ઓક્સિજનની કમીના કારણે આ ઘટના બની હોય તેવું અનુમાન છે.
હાલમાં સાબરમતી નદી અને ચંડોળા તળાવ અને કાંકરીયાનું પાણી દૂષિત થઈ ગયું છે અને કોરોના ના મૃત જીન મળી આવ્યા હતા. અતિશય પાણી દૂષિત મળી રહયુ છે. આવી જ ઘટના ચંડોળા તળાવમાં પણ વારે વારે બનતી આવે છે. જેના કારણે સાબરમતીમાં પ્ર્દુષિત પાણી ની માત્રા વધી ગઈ છે. કોર્પોરેશનમાં પણ હાલમાં સાબરમતીને શુદ્ધ કરવાની બાબતો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોચી છે. કોર્પોરેશાન દ્વારા સાબરમતી નદીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
Loading ...