અમદાવાદ-

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા શાંતિવન પેલેસ સોસાયટીના બંગલા નંબર 2 માં રહેતા સીનીયર સીટીઝન એવા અશોકભાઈ પટેલ અને જ્યોત્સનાબેન પટેલની સવારના પહોરમાં ઘરમાં લુંટના ઈરાદે ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. પાડોશી મનીષાબેને જ્યારે સિક્યુરીટી વાળાના જણાવ્યા બાદ બાજુના ઘરમાં જઈને જોયું તો ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો, તેમને તરત બાજુના ઘરમાં તપાસ કરતા અશોકભાઈ પટેલ લોહીથી લથબથ હાલતમાં બેડરૂમમાં પડેલા જોવા મળ્યા અને જ્યોત્સનાબેન ઘરની સીડીમાં પડેલા મળી આવ્યા હતા, ત્યારે મનીષાબેને તરત આજુબાજુના લોકોને બુમાબુમ કરીને ભેગા કર્યા અને પોતાના મોબાઈલ દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પોલીસે તરત ઘટના સ્થળે પહોચીને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરીને હત્યાની ગુથ્થી સુલઝાવવા કામે લાગી ગયા છે, પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરી કે લુંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હશે તેમ માનીને તે દિશા તરફ શંકાના આધારે તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે, પોલીસ અને FSL દ્વારા દરેક પહેલુંની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, હાલ ઘટના સ્થળે પોલીસનું પંચનામું અને ફોરેન્સીકના અધિકારીઓ દ્વારા તપાસ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંને મૃતદેહને પીએમ અર્થે સોલા સિવિલ મોકલી આપવામાં આવ્યા છે. જાણવા મળે છે કે મૃતક જ્યોત્સનાબેન રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલના પારિવારિક બહેન થાય છે, હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ની ફોજ ઘટના સ્થળે ઉતરી આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી દેવામાં આવી છે, પોલીસ દ્વારા આશરે દસેક જેટલી ટીમો બનાવીને તપાસ શરુ કરી દેવામાં આવી છે.