કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાર મહિનાથી કામ નથી કરી રહી. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માશ્ત્રનપં શૂટિંગશરૂ કરવાની યોજના થઇ રહી છે. આ ફિલ્મનું ૨૬ દિવસનું શૂટિંગ બાકી છે. તાજા જાણકારીના અનુસાર ફિલ્મ સિતારાઓ ઓકટોબરથી શૂટિંગ શરૂ કરવાનીયોજના કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ બે શિફ્ટમાં કરવામાં આવશે. આ શિફ્ટસનો સમય સવારના ૯ થી ૨ અને સાંજના ૪થી ૯ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. 

મીડિયા રિપોર્ટસના અનુસારબન્ને શિફ્ટમાં અલગ અલગ ટીમ મેમ્બર્સ કામ કરશે. આ ઉપરાંત સેટ પર કોરોના વાયરસની ગાઇડલાઇનનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવશે. સેટ પર ૬૫ વરસથી વધુ વયના લોકોને આવવા દેવામાં આવશે નહીં.તેથી લાગે છે કે અમિતાભ બચ્ચન ફિલ્મ બ્રહ્માશ્ત્રના શૂટિંગમાં હિસ્સો નહીં લઇ શકે. મેકર્સ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર મહિના પહેલા કોઇપણ સ્થિતિમાં પુરુ કરવા માંગે છે.