પંજાબ-

દેશ માં આ વખતે કોરોના ની બીજી લહેર ઘાતકી જાેવા મળી હતી . જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા . ત્યારે હવે અમુક દેશો માં કોરોના ની ત્રીજી લહેર નું જાેખમ વધતું જાેવા મળી રહ્યું છે. દેશ માં કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવતા જાેવા મળી રહ્યો છે. જે અંતર્ગત એક દિવસમાં ૪૭,૦૯૨ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૫૦૯ લોકો કોવિડમાં મૃત્યુ પામ્યા છે. તે અંતર્ગત પંજાબ સરકારે પંજાબ સરકારે કોવિડ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા રાજ્યમાં ૧૫ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. બહારના રાજ્યોમાંથી પંજાબ આવતા લોકો, પછી ભલે તેઓ રસ્તા મારફતે આવતા હોય અથવા હવાઈ માર્ગે પંજાબ આવતા હોય, તેમણે ૭૨ કલાકની અંદર આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે અથવા તેમની પાસે બંને રસી હોવી જાેઈએ. તે મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે . ઝ્રસ્ કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર કરતા કહ્યું કે હવે રાજ્યમાં કોરોનાના નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશ નહીં થાય. આ સાથે, પંજાબમાં પણ મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . ઇન્ડોર ૧૫૦ લોકો અને આઉટડોર ૩૦૦ લોકો ભેગા થઈ શકે છે. જીમ, સિનેમાઘરો અને રેસ્ટોરાં ૫૦ ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.