અંકલેશ્વર

અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટના જેતલસર ગામની ૧૬ વર્ષીય કિશોરીની કરપીણ હત્યાની ઘટનાને વખોડી કાઢીને તેણીના હત્યારાને સખ્ત સજા મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી હતી.

રાજકોટ જિલ્લાના જેલપુર તાલુકાના જેતલસર ગામની કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ૧૬ વર્ષીય સૃષ્ટિ રૈયાણીની એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસી જઈન તેણીની હત્યા કરી દીધી હતી, સાથે સાથે તેના નાના ભાઈ પર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડયા છે ત્યારે ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર આપી હત્યારાને કડક સજા થાય તેવી આક્રોશભરી માગણી કરી હતી.