વડોદરા : શહેરના સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની શહેરમાં કોઇપણ પ્રકારની કુદરતી આપદાઓ જેવી કે, પૂર હોય,જરૂરિયાત લોકો માટે રક્તદાન શિબિર નું આયોજન હોય કે કોવીડ૧૯ ની મહામારી સમયે આપવામાં આવેલ લોકડાઉન સમયે હંમેશાં લોકોની સેવામાં અગ્રેસર રહેતા હોય છે. તેમની આ સેવાકીય કામગીરીને જોઇને વિશ્વ સિંધી સેવા સંગમ (રજિસ્ટર) સંસ્થા (મુંબઇ) એ વિશ્વ સિંધી સેવા સંગમ (વી.એ.એસ.એસ.)ના ચેરપર્સન (મેમ્બરશીપ ડેવલપમેન્ટ) તરીકે સન્મુખ બી.જ્ઞાનચંદાનીની નિમણૂંક કરી છે.