અમદાવાદ-

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ૧૫૯ ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે વધુ એક ઉમેદવારને જીતેલા જાહેર કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં વોર્ડ નંબર ૧૪ કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી, પરંતુ ભાજપનાં મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલાં જાહેર કરવામાં આવ્યાં હોવાની ચૂંટણીપંચમા રજૂઆત કરી હતી, કારણ કે ૯મા રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી.

આ બાબતે ચૂંટણીપંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતાં તેમને મોડી રાતે વિજેતા જાહેર કરી કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ગીતાબા ચાવડાએ જણાવ્યું હતું કે મતગણતરીમાં ભૂલને કારણે અમારા તરફથી ચૂંટણીપંચમાં રજુઆત કરવામાં આવી હતી, જેમાં તપાસ બાદ મને વિજેતા જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસની પેનલના વિજેતા ઉમેદવાર જગદીશ મોહનાનીને જીતમાંથી હારેલા જાહેર કરવામાં આવ્યા છે. હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા ૧૬૦ થઈ છે, જ્યારે કોંગ્રેસની ૨૪, એઆઈએમઆઈએમ ૭ અને અપક્ષની ૧