ગાંધીનગર-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે.

મુખ્યમંત્રી ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી કામે લાગી છે.પહેલા બેઠક બોલાવી પરિસ્થિતિનો તાગ મેળવવી તંત્રને કામે લગાડ્યું હતુ.જ્યારે આજે પોતે ખુદ જઇને પરિસ્થિતિનો તાગ મેળવશે.