દુબઈ-

યુએઈ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ભારત અને નેપાળ સહિત છ દેશોના નાગરિકોને ૫ ઓગસ્ટથી યુએઈ માં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે, તેમજ આરોગ્ય કર્મચારીઓને પણ યુએઈ પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે. યુએઈની નેશનલ ઈમરજન્સી ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનસીઈએમએ) અને જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીના નિર્દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નાઈજીરીયા અને યુગાન્ડાના નાગરિકોને પણ લાગુ પડશે.

મુસાફરીની મંજૂરી મેળવવા માટે, પ્રવાસીઓએ ફેડરલ ઓથોરિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવી પડશે. રસીકરણ પ્રમાણપત્ર ઉપરાંત, મુસાફરોની ૪૮ કલાકની અંદર નેગેટિવ પીસીઆર રિપોર્ટ હોવો જાેઈએ. પ્લેનમાં ચડતા પહેલા લેબ ટેસ્ટ કરવામાં આવશે અને યુએઈમાં પ્રવેશતા પહેલા પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી તેમને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. ભારત યુએઈ સહિત જીસીસી (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) દેશો પર દબાણ કરી રહ્યું છે કે તેઓ ભારતીય વ્યાવસાયિકો અને અન્ય કામદારોને કોવિડ -૧૯ સંબંધિત મુસાફરી પ્રતિબંધોને હળવા કરવા અને શક્ય તેટલી વહેલી તકે તેમની નોકરી પર પાછા ફરવાની મંજૂરી આપે. કેટલાક અહેવાલો અનુમાન લગાવી રહ્યા છે કે યુએઈ પ્રતિબંધો ઓગસ્ટ સુધી લંબાવી શકે છે. માત્ર સંયુક્ત આરબ અમીરાતમાં ૩.૪૨ મિલિયન ભારતીયો વસવાટ કરે છે, જે પશ્ચિમ એશિયામાં સૌથી વધુ પ્રવાસીઓની સંખ્યામાંની એક છે.