ઉજ્જૈન,

કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેઓ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો  ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પોલીસે તેમની ધરપકડ કર્યા પછી મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું છે કે 'જેમને લાગે છે કે મહાકાલના આશ્રયમાં જઈને તેમના પાપ ધોવાઈ જશે પણ તેઓ મહાકાલને જાણતા ન હતા. અમારી સરકાર કોઈ ગુનેગારને બક્ષશે નહીં.

આ સાથે તેણે વધુ બે ટ્વિટ કર્યા છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, 'મેં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. ટૂંક સમયમાં આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશ પોલીસ વિકાસ દુબેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપશે. બીજા એક ટ્વીટમાં ઉજ્જૈન પોલીસને અભિનંદન આપતા લખ્યું છે કે, 'વિકાસ દુબેની ધરપકડ બદલ ઉજ્જૈન પોલીસને અભિનંદન.'