લુણાવાડા   

લુણાવાડા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના આગેવાનો હાજર રહીને દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં શહીદ થયેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ મણીબેન ડામોર. મહિસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હરજીવનભાઇ પટેલ લુણાવાડા શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ વરિષ્ઠ નેતા ગુલાબસિંહ ચૌહાણ .પી એમ પટેલ .જેવા નેતાઓ અને મહીસાગર તાલુકાઓના પ્રમુખો તાલુકા ના કાર્યકર્તાઓ હાજર રહી દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.