દિલ્હી-

 દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 50,356 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 84 લાખ 62 હજાર 080 થઈ ગઈ છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 53,920 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 577 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 78 લાખ 19 હજાર 886 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના રીકવરી રેટ વધીને 92.41 ટકા થયો છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 6.1% છે.

દેશમાં કોરોના મૃત્યુ દર પણ 1.48% છે. આ ઉપરાંત, પોઝિટિવિટી રેટ 4.52% નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, દેશભરમાં કોરોનાથી થયેલા કુલ મોતની સંખ્યા 1,25,562 છે. દેશમાં સંક્રમિત કુલ  84.62 લાખ લોકોમાંથી માત્ર 5 લાખ 16 હજાર 632 સક્રિય દર્દીઓ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 11,13,209 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. આજ સુધીમાં દેશભરમાં કુલ 11 કરોડ 65 લાખ 42 હજાર 304 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.