લખનઉ-

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનના સંક્રમણની અસર વ્યાપક થઈ રહી છે. તેની ઝપેટમાં સામાન્યથી લઈને ખાસ લોકો પણ આવી રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના નવમાં મંત્રીના રૂમાં સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.

કોરોના વાયરસથી સંક્રમિત કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ તે રીતે ફેલાયું છે કે નેતા-રાજનેતા પણ તેમાંથી બાકાત નથી. દરરોજ કોઈને કોઈ નેતા-રાજનેતા તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુરૂવારે યૂપી સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિદ્ધાર્થ નાથ સિંહે લખ્યુ કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાયા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે અને ડોક્ટરોની સલાહ પર હું આઈસોલેટ થઈ ગયો છું. મારી વિનંતી છે કે પાછલા દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી લે.