ઓડિશા
ચક્રવાત યાસ ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર પટકાયો છે, ત્યારબાદ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તોફાનનો ભય વધ્યો છે. ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઇએ) એ મુંબઇથી ભુવનેશ્વર અને કોલકાતા વચ્ચેની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. અત્યાર સુધીમાં લગભગ 6 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જો કે, અન્ય પ્રદેશોની ફ્લાઇટ્સ નિર્ધારિત સમયે કાર્યરત રહેશે.
તે જ સમયે, કોલકાતા એરપોર્ટ પણ 12 કલાક માટે બંધ રહેશે, જેના કારણે અહીં ફ્લાઇટ્સનું સંચાલન સવારે 8.30 થી સાંજે 7.45 સુધી બંધ રહેશે. આ ઉપરાંત એર વિસ્ટારાએ આજે એટલે કે 26 મેના રોજ કોલકાતા-મુંબઇ અને કોલકાતા-દિલ્હી રૂટની 2 ફ્લાઇટ્સ પણ રદ કરી દીધી છે. તે જ સમયે, પૂર્વી ક્ષેત્રના અન્ય વિમાનમથકોને એલર્ટ રહેવા જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments