વલસાડ, દિવસે દિવસે ખેરગામ માં ગુનાખોરી નો પ્રમાણ વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે અહીં પોલીસ નો નહીં દબંગો નો જ રાજ ચાલે છે. ભાજપ સરકાર ની શાંતિ પ્રિય સાશન ની વાતો નું ખેરગામ માં સરેઆમ ફિયાસકો થયો છે. ગત રોજ સાંજ ના સમયે જમીન ની અદાવત માં બે મુસ્લિમ પરિવારો વચ્ચે વિવાદ થતા ફાયરિંગ ની ઘટના બની હોવની લોકો જણાવી રહ્યા છે   

ખેરગામ ના મોઇન અઝીઝ મોટરવાળા અને ફળિયા ના જ નિઝામ શેખ સાથે જમીન નો વિવાદ ચાલતો હતો ગતરોજ સાંજ ના સમયે પટેલ સોની વાળા વિસ્તાર માં મોઇનભાઈ ઉભા હતા તે સમયે નિઝામ શેખ અને તેમના પુત્રો નઇમ શેખ, નદીમ શેખ, નિગમ શેખ, અસીમ શેખ ને ફોન કરી બોલાવી ત્યાં ઉભેલ મોઇન પર હુમલો કર્યો હતો મોઇન પર હુમલાખોરો એ લોખંડ ની ફેટ, પથ્થર, સળિયા વળે હુમલો કરી માર મારતા મોઇન નું માથું ફાટી ગયું હતું મોઇન ને માર માર્યા બાદ પોલીસ ને ગજવા માં લઇ ને ફરતા દબંગો એ મોઇન ના પરિવાર ને પણ માર માર્યો હતો જેમાં મહિલાઓ પણ હતી.નિઝામ ના એક પુત્રે ફાયરિંગ કર્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે પરંતુ ખેરગામ બજાર માં જ પેટ્રોલિંગ માં રહેતી પોલીસ ને ફાયરિંગ નો અવાજ સંભળાયો નહતો ! ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.