રાજકોટ-

શહેરની ભાગોળે આવેલા કાલાવાડ રોડ ઉપરના નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગી હતી. તે દરમિયાન રિસોર્ટની પાછળ ઓરડીમાં ઊંઘી રહેલા 8 જેટલા પરપ્રાંતિય કારીગરો ગંભીર રીતે દાઝ્યા છે. આ તમામ પરપ્રાંતિય કર્મચારીઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનામાં દાઝેલા કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તમામ કર્મચારીઓએ બીજા સગા સંબંધી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નિરાલી રિસોર્ટમાં મોટા ભાગના પરપ્રાંતિઓ કેટરિંગનું કામ કરે છે, ત્યારે રિસોર્ટની પાછળ કામ કરતા કર્મચારીઓના રહેવા માટે ઓરડી બનાવવામાં આવી છે. આ ઓરડીમાં એક સાથે 8 જેટલા લોકો રાતે ઊંઘી રહ્યા હતા. એવામાં અચાનક આગ લાગી હતી. જેને લઇને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં એક જ ઓરડીમાં સુતેલા 8 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેને લઈને આસપાસની ઓરડીમાં સુઈ રહેલા કર્મચારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જેની હાલ સારવાર શરૂ છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા કાલાવાડ રોડ ઉપરના નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગી હતી.આ ઘટનામાં રિસોર્ટના 8 પરપ્રાંતિય કારીગરો ગંભીર રીતે દાઝ્યા છે. આ તમામ પરપ્રાંતિય કર્મચારીઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.