રાજકોટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયેલા બદનક્ષી દાવાના મામલે કોંગ્રેસના આગેવાનોને ગાંધીનગ૨ની કોર્ટના તેડા આવ્યા છે. વિરોધ પક્ષ કાર્યાલયના અંગત મદદનીશ, સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા વિગેરે આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરવા અદાલતે આદેશ ફરમાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના એડવોકેટ દ્વારા અપાયેલી માહિતી મુજબ અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂ.૫૦૦ કરોડથી વધુ ૨કમનું નાણાકીય કૌભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરી હતી. જે ફરીયાદના કામે એડી . ચીફ જયુ.મેજી. કે.ડી. પટેલે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે.ફરીયાદમાં કરાયેલા દાવા મુજબ કોંગ્રેસના નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભાજપના આગેવાનોને બદનામ ક૨વાનું એક ષડયંત્ર રચ્યું છે. ફરીયાદી રૂપાણી અગાઉ મુખ્યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપી છે તથા હાલ રાજકોટ –૬૯ નાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે. સમગ્ર ગુજરાત રાજયમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્યક્તિ છે, સમગ્ર ગુજરાત રાજયમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. તેઓ મુખ્યમંત્રી ત૨ીકેની ફ૨જ બજાવતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ કયારેય કોઈ નિયમ અને કાયદા વિરૂધ્ધનું કાર્ય કર્યું નથી, કે આવુ કૃત્ય કોઈ વ્યક્તિને ક૨વા દિધેલ નથી. જેથી ફરીયાદી સિધ્ધાંતવાદી અને નીષ્ઠાવાન વ્યકિત ત૨ીકે સમાજમાં તથા ગુજરાત રાજયના લોકોમાં ખુબ મોટી લોકચાહના ધરાવે છે.જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલી પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયું છે. રૂપાણીએ કરેલી બદનક્ષીની ફ૨ીયાદના સમર્થનમાં સાહેદોના નિવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ રખાયા હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જાેઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય તેવી દલીલો કરતા કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ ક૨ી તેઓને કોર્ટમાં હાજ૨ ૨હેવા હુકમ ફરમાવેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, અમૃતા ભારાજ તેમજ ગાંધીનગરનાં એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયેલા છે.