વડોદરા, તા.૯ 

શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયા શ્રાવણના સરવરિયાં થયાં હતાં. જ્યારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ જાેરદાર વરસાદ થતાં ખાણીપીણીની લારીવાળાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગણતરીનો સમય વરસેલા વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે રવિવારની રજામાં બહાર નીકળેલા લોકો અટવાઈ ગયા હતા. મોડી રાત્રે એકધારો ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જાે કે, ત્રણ દિવસથી શ્રાવણના સરવરિયા બાદ રાત્રે વરસાદ થતાં ઠંડક થવાથી લોકોએ રાહત અનુભવી હતી. જાે કે, પાણી ભરાઈ જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.