દિલ્હી-
અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવુ દબાણ હવે શકિતશાળી વાવાઝોડુ બની રહ્યું છે.. જેને લઇને પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો તોળાઇ રહ્યો છે.. હવામાન વિભાગે કેરળ.. કર્ણાટક.. મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી આપી છે.. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતના કારણે કર્ણાટક. કેરળ અને ગોવાના સમુદ્ર કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે પવનની સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. જ્યારે કે ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ - રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને લઇને એનડીઆરએફની ૫૩ ટીમોને તૈયાર કરવામાં આવી છે. આ ટીમોને કેરળ.. કર્ણાટક.. ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ૫૩માંથી ૨૪ ટીમોને પહેલા જ તૈનાત કરી દેવાઇ છે.. જ્યારે કે બાકીની ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments