દિલ્હી-

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ટી૨૦ વર્લ્‌ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન ૧૭ ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં થશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. ડિજિટલ શોમાં ટી૨૦ વર્લ્‌ડ કપ-૨૦૨૧ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક પણ આ શોનો ભાગ હતો. કાર્તિક હાલમાં કોમેન્ટ્રીમાં આગળ વધી રહ્યો છે. શોનું સંચાનલ ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઈશા ગુહા કરી રહી હતી. આ કાર્યક્રમમાં વેસ્ટ ઈન્ડિઝને ૨૦૧૬માં ટી૨૦ વર્લ્‌ડ કપ જીતાડનારો સુકાની ડેરેન સેમ્મી પણ હતો. કાર્તિક ફાઈનલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝને રમતું જાેવા ઈચ્છે છે. કાર્તિકે કહ્યું હતું કે, હું ફાઈનલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝને જાેવાનું પસંદ કરું છું. મને લાગે છે કે ભારતીય ટીમ બાદ વેસ્ટ ઈન્ડિઝ મારી બીજી ફેવરિટ ટીમ છે.