વડોદરા-
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યાં બાદ રાજીનામુ પરત ખેંચ્યું છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા બીટીપીના અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય.
ભાજપના ૨૯થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું હતું. જાેકે તેમણે પક્ષમાંથી અને સાંસદપદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના ૨૯થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments