દિલ્હી-

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ રોગને કારણે 3,417 લોકોના મોત નીપજ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 3,00,732 દર્દીઓ સ્વસ્થ થયા છે.સોમવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના કુલ 1,99,25,604 કેસ નોંધાયા છે. તે જ સમયે, 2,18,959 લોકો આ રોગને કારણે, અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 34,13,642 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધી 1,62,93,003 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ઘટતો જતો પુન:સ્વસ્થ થવાનો દર, કોરોનાના વધતા જતા કેસોની જેટલોજ ચિંતાજનક છે. છેલ્લા ઘણા દિવસોથી દેશના પુન:સ્વસ્થ થવા ના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશનો પુન:સ્વસ્થ થવાનો દર 81.76 % પર આવી ગયો છે. આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં, 15 લાખ થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગઈકાલે 2 મે ના રોજ 15,04,698 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 29,16,47,037 પરીક્ષણો કરવામાં આવ્યા છે.