દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડીયો કૉન્ફ્રેસિંગ દ્રારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને મહિલા ઉદ્યોગસાહસિકો માટે ૧૬૨૫ કરોળની રકમ ફાળવી. પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલા મહિલા સ્વ-સહાયતા સમૂહોની મહિલા સદસ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત પણ કર્યા.

પીએમ મોદીએ કહ્યુ, મહિલાઓમાં ઉદ્યમશીલતા વધારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વઘારે ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ આપવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યમ હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ હોય કે પછી બીજા સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધારની રકમ મોકલવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ, કોરોનામાં જે પ્રકારા અમારી બહેનોએ જાતે સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનેટાઇઝર બનાવવાના હોય, જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવાનુ હોય, જાગૃતતાનુ કામ હોય, દરેક પ્રકારે આપની સખી સમૂહોનુ યોગદાન અતુલનીય રહ્યુ છે. જ્યારે અમારી સરકાર આવી તો અમે જોયુ કે દેશની કરોળો બહેનો એવી હતી જેમની પાસે બેન્કિંગ ખાતા નહોતા, જે બેન્કિંગ સિસ્ટમથી કોસો દૂર હતુ. તેથી અમે સૌ પહેલા જનઘન ખાતા ખોલવાનુ મોટુ અભિયાન શરૂ કર્યુ.