ચેન્નઈ

ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. અક્ષર પેટેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે બુમરાહ અને સુંદરના સ્થાને સિરાજ અને કુલદીપને સામેલ કરાયા છે.

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત થઈ હતી. મેચની બીજી જ ઓવરમાં શુભમન ગિલ 0 રન બનાવી આઉટ થયો હતો. લંચ સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 106 રન બનાવ્યા હતા. ગિલ અને કોહલી ખાતુ પણ ખોલી શક્યા નહોતા. પુજારા 21 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 150 રન છે. રોહિત શર્મા 103 રને અને રહાણે 6 રને રમતમાં છે. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારી હતી.