રાજકોટ, રાજકોટમાં આજે સુશાસન સપ્તાહના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોનો મેળાવડો જામ્યો છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાયા બાદ સુશાસન સપ્તાહના સમાપનનો કાર્યક્રમ ધર્મેન્દ્ર કોલેજમાં યોજાયો હતો. જેમાં ભાજપના સિનિયન નેતા વજુભાઈ વાળા આક્રમક મૂડમાં જાેવા મળ્યા હતા. તેઓએ કોંગ્રેસને આડેહાથ લઇ જણાવ્યું હતું કે, તમે હરામનું ખાઈ શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકો, પોખરણમાં ધડાકો કરવો તમારી ૭ પેઢીનું કામ નથી. વજુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૭૦-૭૦ વર્ષ રાજ કરી પૈસા ખાધા અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. અટલજીની સરકાર દ્વારા પોખરણમાં ધડાકો કરીને અણુબોમ્બની શક્તિ દેખાડવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસ કહેતું હતું કે, અમેરિકા નારાજ થશે અને ભારતને નુકસાન થશે. જેના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ માતૃભૂમિ માટે થઈને તરસતો રહ્યો છે, માતૃભૂમિની રક્ષા માટે તલપાપડ છે તે જ લોકો અણુ ધડાકો કરી શકે પોખરણની અંદર..વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરી હરામનું ખાઈને શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકો, પોખરણમાં ધડાકો કરવો એ તમારી ૭ પેઢીનું કામ નથી. ભાજપ શાસનની અંદર ફક્ત રસ્તા- ગટરના કામો આપવા નહીં પણ આ દેશની પ્રજાને મરદ બનાવવાની, સશક્ત બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. આ જ કામ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી રાખે છે.