શ્રીનગર-

ઉતર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકીઓએ સેનાના કાફલા પર ગ્રેનેડ હુમલો કર્યા હતો. હાથબોંબ રસ્તાના કિનારે પડતાં તે ફુટયો હતો. આ ઘટનામાં 6 નાગરીક ઘાયલ થયા હતા. તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોને પકહી પાડવા એ વિસ્તારની સુરક્ષાદળોએ નાકાબંધી કરી તલાસી અભિયાન હાથ ધર્યુ હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે બારામુલ્લાના આઝાદ ગુંજ પુલ પાસે આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો, પણ નિકાસ ચુકી જતાં ગ્રેનેડ રસ્તારાના છેડે પડયો હતો. ઓગષ્ટ મહીનામાં અલગ અથડામણોમાં સુરક્ષા દળોએ 16 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હોવા છતાં નિયમિત સમયાંતરે આતંકી હુમલા ચાલુ રહ્યા છે.