દિલ્હી-

સુપ્રીમ કોર્ટે આજે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ)ને કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન કહ્યું કે તે કેમ ઓનલાઇન પરીક્ષાઓ ગોઠવી શકતું નથી.

સુપ્રીમ કોર્ટે મધ્ય-પૂર્વી દેશોમાં રહેતા લગભગ ચાર હજાર દ્ગઈઈ્‌ ઉમેદવારોના માતાપિતા દ્વારા દાખલ અરજીની સુનાવણી કરી હતી.તેમણે તેમની અરજીમાં કહ્યું હતું કે, કોરોના વાઇરસના ફાટી નીકળવાના કારણે ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ છે અને જાે વિદ્યાર્થીઓ મુસાફરી કરે તો તેઓ કોરોનાનો ચેપ લાગી શકે છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એલ નાગેશ્વરા રાવની અધ્યક્ષતામાં કોમન લો એડમિશન ટેસ્ટ (સીએલએટી)ને એનલાઇન કરવાની અરજીને પડકારતી અરજી ફગાવી દીધી હતી.અરજદારે દલીલ કરી હતી કે, ઘણા ઉમેદવારો પાસે કમ્પ્યુટર નથી, તેથી પરીક્ષા ઓફલાઇન હોવી જાેઈએ.