મુંબઈ

ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શેડ્યૂલ મુજબ યોજાશે. ગાંગુલીનું આ નિવેદન ત્યારે આવી રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં કોવિડ -19ના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્ય સરકારે આંશિક લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.ગાંગુલીએ કહ્યું છે કે, IPLના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને મેચ તેના પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ રમાશે. આ સિવાય MCAના એક અધિકારીએ પણ ખાતરી આપી છે કે, લોકડાઉનની IPL મેચોમાં કોઈ અસર નહીં પડે. જોકે, ક્રિકેટની અન્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી પડશે.

IPLની ટીમો સામાન્ય રીતે પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છેMCAના અધિકારીએ એ પણ પુષ્ટિ આપી છે કે MCAના અધિકારીએ જણાવ્યું કે, કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિ કે જે બાયો બબલનો ભાગ છે તેને અવિરતપણે મંજૂરી આપવામાં આવશે. રવિવારે બપોરે મંત્રીમંડળની બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારે વીક એન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.