વધુ એક એક્ટરએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યુ છે. મરાઠી અભિનેતા આશુતોષ ભાકરે આત્મહત્યા કરી લીધી છે. આશુતોષ 32 વર્ષનો હતો અને તેણે મહારાષ્ટ્રના નાંદેડમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આશુતોષની લાશ નંદેડમાં તેના બંગલામાં લટકતી મળી હતી. આશુતોષ એક મહિના પહેલા નંદેડ આવ્યો હતો. આશુતોષના નિધન સાથે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશુતોષની આત્મહત્યાના સમાચારથી ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે.
આશુતોષે આટલું મોટું પગલુ કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. આશુતોષ ફિલ્મ અને ટીવી અભિનેત્રી મયુરી દેશમુખના પતિ હતા. 21 જાન્યુઆરી 2016 ના રોજ મયુરી અને આશુતોષનાં લગ્ન થયાં. બંનેનું લગ્નજીવન પણ ખુશહાલ હતું તેમનો નાંદેડના ગણેશ નગર વિસ્તારમાં બંગલો હતો. થોડા દિવસો પહેલા બંને તેમના ઘરે આવ્યા હતા. આશુતોષ પણ મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. તેણે ઇચર થરલા પક્કા નામની ફિલ્મ કરી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. મયુરી મરાઠી ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments