દિલ્હી-

કેન્દ્ર સરકારે બુધવારે ૨૦૨૧-૨૨ માટે ખરીફ પાકો પર MSP વધારવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યું કે ગત વર્ષની સરખામણીમાં MSPમાં સૌથી વધુ વધારો તલમાં (૪૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) કરવામાં આવ્યો છે. જે બાદ તુવેર અને અડદની દાળમાં (૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેની જાણકારી આપતાં જણાવ્યું કે, સરકારે ખરીફ પાકો પર ૫૦ ટકા સુધી MSP વધારવાનો ર્નિણય કર્યો છે. તેઓએ કહ્યું કે, કેન્દ્ર સરકાર છેલ્લા સાત વર્ષથી ખેડૂતોના હિતમાં ર્નિણયો લઈ રહી છે અને તેમની સમસ્યાઓના સમાધાન માટે ચર્ચા કરવા માટે દરેક સમયે તૈયાર છે.

તોમરે કહ્યું કે, કેન્દ્ર સરકારના આ ર્નિણય બાદ અનાજની MSP ગત વર્ષની સરખામણીમાં ૭૨ રૂપિયા વધારીને ૧૯૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ગત વર્ષે આ રકમ ૧૮૬૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. ઉલ્લેખનીય છે કે, સ્જીઁ એ દર હોય છે જે દરથી સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, કૃષિ પાકો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ રીતે વૃદ્ધિ થતી રહેશે.