અમદાવાદ-

ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48 ટકા ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડી પર આગામી 17 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરુચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાંક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે. વરસાદને લઈને સારા સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી ત્રણેક દિવસમાં ચોમાસુ ફી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. વરસા અવે ુ્ા ારલપ કપા