ખેરાલુ : ખેરાલુ અંબાજી હાઈવે નાનીવાડા પાસે ગંભીર અકસ્માત થતો કારમાં સવાર પરિવાર પૈકી ત્રણના મોત થયા ત્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતો વડનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતની મળતી માહિતી પ્રમાણે વડનગર તાલુકાના કરબટીયા ગામ ના વતની અને અમદાવાદ રહેતા પટેલ પરિવારના પાંચ વ્યક્તિઓ અમદાવાદથી અંબાજી દર્શનાર્થી જઈ રહ્યા હતા ત્યારે ખેરાલુ નાનીવાડા નજીક વેગેનાર કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતો કાર સળગી ઉઠી હતી.

અકસ્માતની જાણ થતો આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઇ હતી કારમાં સવાર પાંચ પૈકી બે વ્યક્તિઓને જીવિત બચાવી લેવાઇ હતી જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ બળીને ભડથું થઈ ગયા હતા બચાવેલ બંને વ્યક્તિ ને ગંભીર ઇજાઓ થતો વડનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.અકસ્માતમાં કરબટીયા ગામ નો પટેલ પરિવારના પટેલ અંબાબેન રણછોડભાઈ ઉંમર વર્ષ ૭૦ તથા પટેલ હેનીબેન રાકેશભાઈ ઉંમર વર્ષ ૧૭ તથા પટેલ આસ્થા બેન રાકેશભાઈ ઉંમર વર્ષ ૧૫ ત્રણેય કાર મોજ સળગી ને ભડથું થઇ ગયા હતા જ્યારે પટેલ રાકેશ કુમાર રણછોડભાઈ ઉંમર વર્ષ ૪૨ તથા તેમના પત્ની પટેલ વર્ષાબેન રાકેશભાઈ ઉંમર વર્ષ ૪૦ બંનેને ગંભીર ઇજાઓ થતો તૂરત વડનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા બંનેની હાલત વધુ ગંભીર હોવાથી મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ખેરાલુ અંબાજી હાઈવે પર બનેલી કમ કમાટી ભરી અકસ્માતની ઘટનાથી ખેરાલુ મા ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઇ હતી.