દિલ્હી-

દેશમાં એકજ દિવસ માં નવા કોરોના કેસની સંખ્યા સવા લાખ થી વધુ પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,29,28,547 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 685 લોકોનાં મોત થયાં. આ રોગથી કુલ મૃત્યુઆંક 1,66,862 પર પહોંચી ગયો છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હાલમાં 9,10,319 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે કોરોનાથી અત્યાર સુધી 1,18,51,393 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં દેશમાં કોરોના દર્દીઓ નો સ્વસ્થ થવાનો દર 91.66 ટકા પર આવી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 લાખ થી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઈસીએમઆર અનુસાર 07 એપ્રિલના રોજ 12 લાખ, 37 હજાર, 781 પરીક્ષણો થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 25,26, 77,379 પરીક્ષણો કરવામાં આવ્યા છે.