વડોદરા, તા. ૩

શહેર નજીક અનગઢ ખાતે સાસરીમાં રહેતી પરિણીતા પ્રેમિકાને રાત્રે બર્થ ડે વીશ કરવા માટે આવેલા આણંદના યુવક પર પરિણીત પ્રેમિકા અને તેના પતિએ ભેગા મળીને ઘરમાં હુમલો કર્યા બાદ પ્રેમિકાએ બળજબરીથી પ્રેમીયુવકને ઝેરી દવા પીવડાવીને તેની ઠંડા કલેજે હત્યા કરી હતી. આ બનાવની નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા દંપતીને ઝડપી પાડી તેઓના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી હતી.

આણંદ જિલ્લાના સામરખા ગામમાં મહાદેવવાળા ફળિયામાં પત્ની મનીષાબેન સહિતના પરિવાર સાથે રહેતા ૨૫ વર્ષીય મિલન ઉર્ફ સંજય મુકેશભાઈ પરમાર ખેતીકામ કરતો હતો. સંજય પરિણીત હોવા છતાં તેને છેલ્લા ત્રણેક વર્ષથી સામરખા ગામમાં વાઘપુરા પરામાં રહેતી શિવાની પ્રવિણભાઈ પરમાર સાથે પ્રેમસંબંધ હતા અને તેઓ અવારનવાર મળતા હતા. જાેકે દોઢેક વર્ષ અગાઉ શિવાનીનું અનગઢ-કૃષ્ણનગર પાસે આવેલા રાજગઢમાં રહેતા રાજુભાઈ દલપતસિંહ ગોહિલ સાથે લગ્ન થતા તે સંયુક્ત કુટુંબવાળી સાસરીમાં રહેવા માટે આવી હતી પરંતું તેમ છતાં સંજય અને શિવાનીના પ્રેમસંબંધ યથાવત રહ્યા હતા.ગઈ કાલે સાંજે સંજય તેની બાઈક લઈને ગામમાં ભાટિયાપુરામાં રહેતા પિતરાઈભાઈ ધર્મેન્દ્ર પરમારના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે ‘મારા મિત્રનો આજે બર્થડે છે ,ચાલ આપણે તેના ઘરે વાસદ જઈને આવીયે ’. સંજયની વાત સાંભળીને ધર્મેન્દ્ર તેની બાઈક પર બેઠો હતો અને બંને જણા વાસદ આવતા જ સંજયે ઘટસ્ફોટ કર્યો હતો કે મારા શિવાની સાથે પ્રેમસંબંધ છે અને આજે તેનો બર્થ ડે છે તેમજ તેને મળવા માટે તેના ઘરે જવાનું છે, શિવાનીએ મને મોબાઈલ ફોન ઉપર લોકેશન મોકલ્યું છે. આ લોકેશનના આધારે બંને ભાઈઓ અનગઢ ખાતે પહોંચ્યા હતા અને સંજયે ફોન કરીને શિવાનીને તે આવી ગયો હોવાની જાણ કરી હતી. જાેકે શિવાનીએ હું ફોન કરુ ત્યારે મારા ઘરે આવજાે તેવી સુચના આપતા બંને ભાઈઓ અનગઢ ખાતે રોડ પર ફોનની રાહ જાેતા ઉભા રહ્યા હતા. આશરે દોઢેક કલાક બાદ

અનુસંધાન પાન ૯...

શિવાનીએ ફોન કરતા તેઓ સાડા દસ વાગે શિવાનીના ઘર પાસે ગયા હતા અને ધર્મેન્દ્ર ઘરથી દુર રોડ પર બાઈક લઈને ઉભો રહેતા સંજય એકલો શિવાનીના ઘરે ગયો હતો. જાેકે અડધો કલાક બાદ સંજયે ફોન કરીને ધર્મેન્દ્રને ત્રુટક ત્રુટક થોથરાતા અવાજે તું જલ્દી આવી જા તેમ કહેતા જ ધર્મેન્દ્ર તુરંત બાઈક લઈને શિવાનીના ઘરની પાછળના ભાગે ગયો હતો અને બાઈકનો અવાજ સાંભળીને સંજય લથડિયા ખાતો શિવાનીના ઘરમાંથી બહાર આવ્યો હતો. તેની પાછળ શીવાની અને તેનો પતિ રાજુ પણ બહાર આવ્યા હતા અને શિવાનીએ અપશબ્દો બોલી કહેતી હતી કે આજે તો ફક્ત માર માર્યો છે, હવે પછી મને મળવા આવશો તો તેને પુરો કરી દઈશું. આ દ્રશ્ય જાેઈને ગભરાયેલા ધર્મેન્દ્ર તુરંત સંજયને બાઈક પર પાછળ બેસાડતા જ તેની પર રાજુએ લાકડીથી હુમલો કર્યો હતો જેથી તેણે બાઈક ભગાડી મુકી હતી. સંજય અર્ધબેભાન જેવી હાલતમાં હોઈ તેના પગ જમીન પર ઘસડાયા હતા. જાેકે થોડેક આગળ અનગઢ પંચાયત પાસે તેણે બાઈક ઉભુ રાખી સંજયને બાંકડા પર સુવાડીને પુછતા તેણે જણાવ્યું હતું કે શિવાની અને તેના પતિએ મને માર માર્યો છો અને શિવાનીએ મને ઝેરી દવા પીવડાવી દીધી છે. આ બનાવની ધર્મેન્દ્રએ તેના સંબંધીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સંજયને કારમાં સુવાડી કોટણા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગોત્રી હોસ્પિટલમાં મોકલતા સંજયને મૃત જાહેર કરાયો હતો. આ બનાવની ધર્મેન્દ્રએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવાની અને તેના પતિ રાજુ ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની આજે અટકાયત કરી હતી.

રાજુએ સંજયનો મોબાઈલ તળાવમાં ફેંક્યો

દંપતીએ માથામાં લાકડીના ફટકા મારીને ઝેર પીવડાવતા સંજય અર્ધબેભાન હાલતમાં માંડમાંડ બાઈક પર બેઠો હતો. જાેકે તે બેલેન્સ રાખી શકતો ન હોઈ ધર્મેન્દ્રએ તેને બાંકડા પર સુવડાવતા જ તેની પાછળ શિવાનીનો પતિ રાજુ દોડી આવ્યો હતો અને તેણે તમે બંને જણા હજુ અહીં કેમ બેઠા છો ? અહીંથી જતા રહો તેમ કહીને સંજયનો મોબાઈલ ફોન લઈના બાજુમાં આવેલા તળાવમાં ફેંકી દીધો હતો.

શિવાનીનો મોબાઈલ ચેક કરતાં લગ્નેતર સંબંધોનો ભાંડો ફૂટ્યો

શિવાનીનો પતિ જામનગર ખાતે આઈઓસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવે છે અને તે મોટાભાગે જામનગરમાં રહે છે. પતિની ગેરહાજરીનો લાભ લઈ શિવાની તેના પરિણીત પ્રેમીને મળતી હતી અને સોશ્યલ મિડિયામાં તેની પર સતત સંપર્કમાં રહેતી હતી. તાજેતરમાં શિવાનીનો મોબાઈલ ફોન પતિએ ચેક કરતા તેના લગ્નેતર સંબંધોનો ભાંડો ફુટ્યો હતો.