વડોદરા-
વડેદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણી ની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી. સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા.ખાસ વાત એ છે કે તેઓ સાત મહિના ની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટી ની શરૂઆત થી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી. તેવી જ રીતે, અંકોડિયા ના એ.એન.એમ.લક્ષ્મી બહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓ ની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી. કલેકટરે એ આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓ ને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવી ને બિરદાવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments