દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કથિત પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી શરૂ કરી છે અને જણાવ્યુંં છે કે, જો તેના વિશેના અહેવાલો સાચા હોય તો જાસૂસીના આરોપો ગંભીર છે. ચીફ જસ્ટિસ (CJI) એન.વી. રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે શરૂઆતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન રામ અને શશી કુમાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. CJI એ જણાવ્યું હતું કે, 'આ બધામાં જતા પહેલા અમારી પાસે કેટલાક પ્રશ્નો છે. તેમાં કોઇ શંકા નથી, જો રિપોર્ટ સાચો છે તો આરોપો ગંભીર છે.' તેમણે વિલંબનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કેસ 2019માં સામે આવ્યો હતો. જાસૂસી રિપોર્ટ 2019માં સામે આવ્યો હતો. મને ખબર નથી કે, વધુ માહિતી મેળવવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે એવું કહેવા માંગતો ન હતા કે આ એક અવરોધ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, તે દરેક કેસની હકીકતોમાં જઈ રહ્યું નથી અને જો કેટલાક લોકો દાવો કરે છે કે, તેમનો ફોન અટકાવવામાં આવ્યો હતો. આ ટેલિગ્રાફ એક્ટ છે જેના હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે. સિબ્બલે જણાવ્યું હતું કે, 'હું સમજાવી શકું છું. અમારી પાસે ઘણી બધી સામગ્રી પહોંચી નથી. અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી છે.