વડોદરા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આગામી તા.૧૬ જુનથી ૧૫મી જુલાઈ સુધી ઈંગ્લેન્ડના પ્રવાસે જનાર છે ત્યારે આ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે વડોદરાના રાજકુંવરદેવી (ગીતા) ગાયકવાડની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટના વર્ષ ૧૯૮૪-૮૫ ઓસ્ટ્રેલિયા ટૂરમાં સભ્ય રહી ચૂકેલા તેમજ બીસીએની મહિલા ટીમનું બે દશક પ્રતિનિધિત્વ કરનાર રાજકુંવર દેવી (ગીતા) ગાયકવાડની ભારતીય મહિલા ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મેનેજર તરીકે નિયુકત કરવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આગામી તા.૧૬મી જૂનથી ૧૫મી જુલાઈ સુધી ઈંગ્લેન્ડના પ્રવાસે જનાર છે. તેઓ તા.૧૯મી મેના રોજ મુંબઈ ખાતે બીસીઆઈને રિપોર્ટ કરશે અને કોવિડ પ્રોટોકોલ મુજબ આરટીપીસીઆર ટેસ્ટ બાદ ટીમ સાથે ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહ્યા બાદ ટીમ તા.ર જી જૂને ઈંગ્લેન્ડ માટે રવાના થશે. ગીતા ગાયકવાડ હાલ બીસીએમાં મહિલા ટીમના સિલેકટર તરીકે કામગીરી કરી રહ્યા છે.