પાદરા,તા.૧૫

પાદરાના વડુ પોલીસ સ્ટેશનનાં માસરરોડ ઓ.પી.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે પાદરાના વડુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિણીતાનો મૃતદેહને વડું સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં પેનલ ડોકટરથી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ કોન્સ્ટેબલ ચિરાગગીરીના પત્ની અંકિતાબેને અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનું નોંધાયું પંખા પર ઓઢણી બાંધી પરિણીતા એ જીવન ટુંકાવ્યું હતું.

પરિણીતા મૂળ ગીર સોમનાથના તાલાલા ના હરમતગિરી ગામની રહેવાસી હોવાનું જણાઇ આવ્યું છે પરણિતાના પિયરીયાઓએ ગૃહકંકાસ અને ત્રાસ ના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કર્યા હતા.પો.કો. ચીરાગગીરી અને તેના પરિવારના પાંચ જણ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં ચિરાગ સહિત તેનો ભાઈ ર્નિભય તેના પપ્પા પરષોત્તમ તેના મમ્મી હંસા અને બહેન જલ્પા મળી કુલ પાંચ પરિવાર જનો પર આક્ષેપ કરવામાંઆવ્યા હતા અને સાથે દારૂ પી ને હેરાન તથા ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસ કોસ્ટેબલ ચિરાગગિરિ સરકારી હોસ્પિટલ માં દાખલ થઈ નાટક કરતો હોવાનો પરિણીતાના પિયર પક્ષે આક્ષેપ કર્યો હતો અને પરણિતાના પરિવારજનો વડોદરા જિલ્લા પોલીસવડાની કચેરીએ ફરિયાદ આપવા પહોંચ્યા હતા.

સ્યુસાઇડ નથી મર્ડર છે ઃ મૃતકના ભાઈનો આક્ષેપ

રવીજતી ગોસ્વામી ( પરિણીતાનો ભાઈ) કરેલા આક્ષેપ મુજબ આ સ્યુસાઇડ નથી મર્ડર છે. જ્યાં સુધી સંતોષકારક જવાબ નહી મળે અને ન્યાય નહિ મળેત્યાં સુધી જઈશું નહિ. ચિરાગ હજી સુધી અમને મળ્યો નથી અને સરકારી દવાખાને દાખલ છું કહી ગોળ ગોળ ફેરવી રહ્યો છે મારી બહેનનું મરવાનું કારણ ઘર કંકાસ અને ત્રાસ થી છે પરિણીતાની માતાએ કરેલા આક્ષેપ મુજબ ૫ વર્ષ ના લગ્ન જીવન માં ૪ વર્ષ થી ત્રાસ આપે છે. ઘરમાં કોઈ બોલાવતું નથી હોવાનું ફોન માં જણાવ્યું હતું અનેચિરાગ પણ મને એની સાથે બોલવાનું ના કહ્યું હતું. અમે તેડી જવા કીધું તો હમણાં નહિ આવવા કહ્યું ૨ દિવસ પછી લેવા આવવા કહ્યું