જયપુર-

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિશ્વાસ મત જીતી લીધો છે. ધ્વનિમતથી આ વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો છે. આ સાથે જ 21 ઓગસ્ટ સુધી વિધાનસભા સ્થગિત કરી દેવાઈ છે. રાજસ્થાન સરકારે વિધાનસભામાં ધ્વનિમતની મદદથી વિશ્વાસમત જીતી લીધો છે, ભાજપ દ્વારા સદનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આજે ફરી સચિન પાયલોટ પોતાના સાથીઓ સાથે સદનમાં પહોંચ્યા હતા. જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો . જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો