રાજકોટ- 

શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રીમદ ભવનમાં બીજા માળે આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર ૪૨૦૦ લોકોનો વિશ્વાસ કેળવી ૬૦ કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઇ ગયા છે. રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અંતે કોઠારીયા રોડ અને દેવપરા પાસે રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા સંજયભાઈ સોજીત્રાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ કરી છે તેના જ પરિવારના ૨૨ જેટલા સભ્યો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. દેવાંગભાઈ મનસુખભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, મારી દોઢ વર્ષની પુત્રી સાક્ષીના જીયાણાના ૬૦ હજાર ફિક્સ ડિપોઝીટમાં મૂક્યાં હતા અને તે પણ ફસાય ગયા છે. દેવાંગભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મને ખબર પડી કે રામેશ્વર શરાફી મંડળીમાં છેડછાટ થઇ રહી છે અને મંડળી ઉઠી ગયાના સમાચાર મળ્યા હતા. આથી હું મંડળીએ ગયો તો તેણે કહ્યું હતું કે પૈસા મળી જશે. મારી છોકરીના જીયાણામાં સગા-સંબંધીઓએ આપેલા પૈસા સહિત મેં મારી દીકરીના નામે ૬૦ હજાર રૂપિયા ફિક્સ ડિપોઝીટમાં એક વર્ષની મુદ્દતે મૂક્યા હતા. હવે આ બાબતે કોઈ જવાબ દેતું નથી એટલે મેં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી સંજયભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, ચેરમેન સંજય દુધાગ્રા અમારા સગામાં થતો હોવાથી અમે ભરોસો રાખ્યો હતો. ૧૧ વર્ષથી મંડળી ચલાવતો હતો. એક વર્ષના વાર્ષિક ૧૨ ટકાના વ્યાજદરે ફિક્સ ડિપોઝીટમાં મારા પિતા જયંતીભાઈએ તેમની કમાણીના ૧૧ લાખ આપ્યા હતા. ૨૦૧૪માં પિતાનું અવસાન થયું હતું.જયંતીભાઈએ જે-તે સમયે પરિવારના અલગ-અલગ ૨૨ સભ્યોની ફિક્સ ડિપોઝીટ કરાવી હતી. જૂન માસમાં આ ડિપોઝીટ પાકતી હતી. જેનું વ્યાજ લેવા મંડળીના ચેરમેન પાસે જતા તેણે પૈસાની સગવડ નથી બે મહિના પછી આવજાે તેવું કહ્યું હતું. ત્યારબાદ તેણે ઓફિસ બંધ કરી દીધી હતી. ધીમે ધીમે માલુમ પડ્યું કે અનકે થાપણદારોની તગડી રકમ ફસાઈ છે અને લોકો ધક્કા ખાઈ રહ્યાં છે. ફરિયાદી સંજયભાઈ જેન્તીભાઈ સોજીત્રા સહિત પરિવારના ૨૨ સભ્યોના ૩,૧૧,૬૭,૦૦૦ રૂપિયા ફસાયા છે.

આ સિવાય નામ જાેગ યાદી જાેઈએ તો નિશાબેન હેમંતભાઈ પરમાર-૨૧,૧૮,૦૦૦, અશોક ચંદુભાઈ મારૂ-૨૮, ૫૬,૯૦૦, ડેનિશ કૌશિકભાઈ ચાવડા-૭,૫૯,૦૦૦, હીરાભાએ મેવાડા-૩૦,૦૦,૦૦૦, અનિલ ધીરૂભાઈ ટીંબડિયા-૧૫,૫૦,૦૦૦, હિતેશ કરમશી દુધાગ્રા-૧૨,૦૦,૦૦૦, હર્ષાબેન દુર્લભજી કારેલિયા- ૫,૫૦,૦૦૦, જગદીશ ખોડાભાઈ રાઠોડ-૩૭,૪૦,૦૦૦, જયસુખ પરસાણા-૩૪,૬૯,૦૦૦, શાંતિ વેલજીભાઈપેઢડિયા-૧૮,૨૦,૦૦૦, હરેશ ગોહિલ-૨૨,૩૫,૦૦૦, અલ્પેશ કાલરિયા-૩૩,૭૫,૦૦૦, સાગર દુધાગ્રા-૪,૫૦,૦૦૦, રમેશ સભાડિયા-૧,૫૦,૦૦૦, પ્રફુલ ઢોલરીયા-૩,૫૦,૦૦૦, મુકેશ લિંબાસીયા-૪,૦૦,૦૦૦નો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોના ૩,૧૧,૦૦,૦૦૦થી વધુ રૂપિયા મળી ૪૨૦૦ લોકોના ૬૦ કરોડ રૂપિયા પડાવી લીધા છે.