ઉનાઈ,  નવસારી જિલ્લા અને તાપી જિલ્લાના હદ પર આવેલા પાઠકવાડી ગામે તાપી પોલીસના ચેકપોસ્ટ પર આજુબાજુના ગામોના આદિવાસી પ્રજા અને ખેડૂતોને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ થતી હોવાની સ્થાનિકો દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને મૌખિક રજુવાત કરવામાં આવી હતી 

ઉનાઈ અંબિકા નદીનો પુલ પાસ કારતાજ તાપી જિલ્લાની હદ શરૂ થતી હોય છે જેના કારણે તાપી પોલીસે લોકડાઉનમાં સઘન ચેકીંગ કરવા માટે પાઠકવાડી ગામ પાસે ચેકપોસ્ટ ઉભું કરવામાં આવ્યું હતું.અંબિકા નદીના પુલના પેલા છેડાના તાપી જિલ્લાના અનેક ગામોના મધ્યમવર્ગી આદિવાસીઓ મજૂરી કામ અર્થે તથા ખેડૂતો શાકભાજી વેચવા તથા ધંધાદારીઓ તથા સ્થનિક પ્રજા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ઉનાઈ અવર જવર કરતા હોય છે તાપી જિલ્લાના ઉનાઈ નજીકના ગામોના લોકોને ઉનાઈ આવવા માટે પાટકવાડીથી માત્ર અડધો કિલોમીટરનો સમય લાગતો હોવાના કારણે સ્થાનિક પ્રજા ઉનાઈ ખાતે જીવંજરૂરિયાતની ચીજ વસ્તુ લેવા આવતા હોય છે. ઘણા સમયથી સ્થાનિક પ્રજા દ્વારા પાઠકવાડી ખાતે ડોલવણ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભું કરવામાં આવેલ હોય જ્યાં સ્થાનિક લોકોને પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોવાની રાવ ઉઠવા પામી છે જેના કારણે સ્થાનિકોએ અડધો કિલોમીટર ઉનાઈ આવવાની જગ્યાએ આઠ કિલોમીટર ડોલવણ જાવવાની ફરજ પડી રહી હોય જેના કારણે સ્થાનિકોને સમયનો વેડફાટ અને ઇંધણ પણ વધુ બળતું હોવાના કારણે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો જેના ઉનાઈ ગામના વેપાર ધંધાઓ પણ પડી ભાંગ્યા હોય જેના કારણે અનેક લોકો દ્વારા આ બાબતે વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલને ઉનાઈના સ્થાનિકો તેમજ આજુબાજુના ગામોના લોકો દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ડોલવણ પી.એસ.આઈ મોરીએ આ બાબતને ગંભીરતાથી લઇ યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું જાે આનું યોગ્યનિરાકરણ ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલે ઉગ્રઆંદોલન તેમજ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે પાઠકવાડી ગામની આજુબાજુના ગામોના લોકો ઉનાઈ ખાતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા આવતા હોય છે જેના કારણે ઉનાઈ ગામા વેપાર ધંધા ચાલતા હોય છે ચેકપોસ્ટ પર પોલીસની હેરંગતિને કારણે લોકો ઉનાઈ તરફ ન આવતા અનેક લોકોના વેપાર ધંધા ને અસર થવા પામી છે.