દિલ્હી-

કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમા વિસ્તારોમાં હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે ૨૦મો દિવસ છે. આ આંદોલનમાં હવે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટકરામણનો નવો વળાંક આવ્યો છે. અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ દેશની ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી ટ્રાઇને પત્ર લખીને તેની બે હરીફ કંપનીઓ – ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે ફરિયાદ કરી છે.

તેનો આરોપ છે કે એરટેલ અને વોડાફોન-આઈડિયા ખેડૂતોને સમર્થનના બહાને પોતાના નેટવર્ક સાથે જાેડવા માટે જિયોના ગ્રાહકોને બહેકાવી-ફોસલાવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોએ જિયોના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. જિયોએ આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની ટ્રાઇને વિનંતી કરી છે. દરમિયાન, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડે આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી છે અને જિયોના આરોપને નકારી કાઢ્યો છે.