સિડની
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઇજા સામે જજૂમી રહેલી ટીમ ઇન્ડિયાને મંગળવારે મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે બોલર જસપ્રીત બુમરાહ બ્રિસ્બેનમાં થનારી ચોથી ટેસ્ટથી બહાર થઇ ગયા. તેવામાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન અજિંક્ય રહાણેની સામે સમસ્યા 11 ખેલાડીઓને એકત્ર કરવાની છે. આ વચ્ચે, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે તેઓ બ્રિસ્બેન ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે.
Itne sab players injured hain , 11 na ho rahe hon toh Australia jaane ko taiyaar hoon, quarantine dekh lenge @BCCI pic.twitter.com/WPTONwUbvj
— Virender Sehwag (@virendersehwag) January 12, 2021
વિરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વિટમાં છ ખેલાડીઓના ફોટા પણ શેર કર્યા છે. તેમણે લખ્યું કે, આટલા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, 11 ના થઇ શકતા હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છું. ક્વારનટીન જોઇ લેશું. સહેવાગે BCCIને પણ ટેગ કર્યું છે.
જણાવી દઇએ કે, બ્રિસ્બેનમાં થનારી ચોથી ટેસ્ટ પહેલા જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ ત્રણેય ખેલાડી બ્રિસ્બેનમાં નથી રમી શકે તેમ.
ઝડપી બોલર મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને બેટ્સમેન લોકેશ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે સીરીઝથી બહાર છે. ત્યારે, પહેલી 2 ટેસ્ટમાં નિષ્ફળ રહેનારા બોલર મયંક અગ્રવાલને નેટ પ્રેક્ટિસ દરમિયાન હાથમાં બોલ વાગ્યો. સ્કૈન રિપોર્ટની રાહ છે. તેઓ હનુમા વિહારીની જગ્યા લેવાના છે અને ઇજા ગંભીર ન હોવાથી રમી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments