આણંદ, તા.૧૫ 

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યની સાથે સાથે આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. શ્વેતનગરી આણંદમાં કોરોના વાઇરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઈ આણંદ-વિદ્યાનગર ગાર્મેન્ટ એન્ડ ટેક્સટાઈલ્સ એસો. દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ તમામ દુકાનો સવારે ૯થી સાંજના ૪ કલાક સુધી સ્વૈચ્છિક રીતે ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજના ૪ વાગ્યા પછી આણંદ વિદ્યાનગર રોડ પરની ગાર્મેન્ટની તમામ દુકાનો બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાનમાં લઈ તેમજ આણંદ નગરપાલિકા તથા કલેક્ટર દ્વારા કરાયેલી અપીલને ધ્યાનમાં લઈને આણંદ-વિદ્યાનગર ગાર્મેન્ટ એન્ડ ટેક્સટાઈલ્સ એસો. દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.