અમદાવાદ-

કોરોના સંક્રમણ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાતા સરકાર હવે ધોરણ 1 થી 5 ની Schools પણ રેગ્યુલર કરવાની તૈયારીમાં છે. ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઇ શકે છે. રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થતા હવે સ્થિતિ ઘણી સામાન્યત: બની રહી છે, ખાસ કરીને વાલીઓમાં પણ હવે ભય અને ડર દૂર થઇ ગયા છે. સરકાર શિક્ષણને ધીરે ધીરે અનલોક કરી રહી છે ત્યારે ધોરણ 9 થી 11 બાદ સરકારે ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ કરી દેવાની જાહેરાત બાદ માર્ચથી ધોરણ 1 થી 5 ના વર્ગો પણ સરકાર શરૂ કરી શકે છે.