દિલ્હી-

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેંકોમાં લોકર સુવિધા વ્યવસ્થાપન અંગે ૬ મહિનામાં નિયમો બનાવવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે બેન્કો તેમના ગ્રાહકોને બેંક લોકર સેવાથી દૂર કરી શકશે નહીં. જસ્ટિસ એમ.એમ. શાંતાનાગૌડર અને જસ્ટિસ વિનીત સરનની ખંડપીઠે કહ્યું કે વૈશ્વિકરણની સાથે સામાન્ય લોકોના જીવનમાં બેન્કિંગ સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લોકો ઘરો પર રોકડ, ઘરેણાં વગેરે રાખવા અંગે અનિચ્છા બતાવે છે, કારણ કે આપણે ધીમે-ધીમે કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. તેથી, બેંકો દ્વારા પ્રદાન થયેલ લોકર એક આવશ્યક સેવા બની ગઈ છે. આ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકો તેમજ વિદેશી નાગરિકો મેળવી શકે છે. તેમ છતાં ઇલેક્ટ્રોનિક સંચાલિત લોકર માટે એક વિકલ્પ છે, પરંતુ અમુક લોકો તેમાં ગડબડ પેદા કરી શકે છે.

જાે લોકો તકનીકી રીતે જાણકાર ન હોય તો આવા લોકરનું સંચાલન પણ તેમના માટે મુશ્કેલ છે. ખંડપીઠે કહ્યું કે ગ્રાહકો સંપૂર્ણપણે બેંક પર ર્નિભર છે, જે તેમની સંપત્તિને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ સક્ષમ છે. આવી સ્થિતિમાં બેંકો આ બાબતે પીછેહઠ કરી શકશે નહીં અને દાવો કરી શકે છે કે તેમના ગ્રાહકોને લોકર ચલાવવાની તેમની કોઈ જવાબદારી નથી. બેંકો દ્વારા આ પ્રકારની કાર્યવાહી માત્ર ગ્રાહક સુરક્ષા કાયદાની સંબંધિત જાેગવાઈઓનું ઉલ્લંઘન નથી, પરંતુ રોકાણકારોના વિશ્વાસ અને ઉભરતા અર્થતંત્ર તરીકેની અમારી વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડે છે. કોર્ટે કહ્યું, "જરૂરી છે કે આરબીઆઈ એક વ્યાપક ડાયરેક્શન લાવે, જે લોકરના સંદર્ભમાં બેન્કોએ કયા પગલા ભરવા જાેઈએ તેનો આદેશ આપે. બેંકોને ગ્રાહકો પર એકપક્ષી અને અયોગ્ય શરતો લાદવાની સ્વતંત્રતા હોવી જાેઈએ નહીં. તેને ધ્યાનમાં રાખીને અમે આરબીઆઈને આ આદેશના ૬ મહિનામાં આ સંદર્ભમાં યોગ્ય નિયમો બનાવવા સૂચના આપીએ છીએ. સુપ્રીમ કોર્ટનો આ ર્નિણય કોલકાતાના અમિતાભ દાસગુપ્તાની અપીલ પર લેવાયો છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના આદેશ સામે દાસગુપ્તાએ અપીલ નોંધાવી હતી. તેણે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમ સમક્ષ અરજી કરી હતી, જેથી યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને લોકરમાં રાખેલા ઝવેરાત પરત આપવા અથવા તેની કિંમત અને નુકસાનના બદલામાં વળતર રૂપે ૩ લાખ ચૂકવવા વિનંતી કરી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ સમાધાન પંચે રાજ્ય કમિશનના આદેશને સ્વીકાર્યો કે લોકરમાં રાખેલા માલની પુનઃપ્રાપ્તિના સંદર્ભમાં ગ્રાહક મંચનો અધિકારક્ષેત્ર મર્યાદિત છે.