સુરત-

મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પહેલાં એક ઝાડીમાંથી મહિલાની ક્રૂર રીતે ગળું તથા હાથ કાપી હત્યા કર્યા બાદ ચહેરા ઉપર બ્લેડ મારી ચામડી પણ ઉતરડી નાંખી થયેલી ચકચારી હત્યામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે માંડવીના કરંજ ગામે મધરાત્રે બે વાગ્યે ઓપરેશન હાથ ધરી યુવતીના પ્રેમીની ધરપકડ કરી નંદુરબાર પોલીસને સોંપ્યો હતો. ગત ૨૬મી ઓગસ્ટે નંદુરબાર પોલીસને નંદુરબાર રેલવે સ્ટેશન પહેલાં પાંચેક કીલોમીટર દૂર ડેકવડ ગામના રેલવે ટ્રેક પાસે આવેલી ઝાડીમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. યુવતીનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક હાથ છૂટો પડી ગયો હતો અને તે થોડેક દૂર પડયો હતો. ચહેરાની ચામડી ઉપર બ્લેડ મારી ઉતરડી નાંખવામાં આવી હતી. એટલી ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી કે પોલીસને પણ હત્યા પ્રત્યે ધ્રૂણા ઉપજી હતી. પોલીસને અહીંથી નવો ખરીદેલો લાલ શર્ટ પણ મળ્યો હતો. જેથી પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે કોઇ પુરુષ પણ હોવો જાેઇએ.

પોસ્ટ મોર્ટમમાં આ યુવતીની હત્યા પૂર્વે શારિરીક સંબંધ બાંધવામાં પણ આવ્યો હોવાનું બહાર આવતાં નંદુરબાર પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. નંદુરબાર સ્ટેશનથી સાતેક કીમી પહેલાં આવતાં ડેકવડ ગામ સ્ટેશનના સીસીટીવી કેમેરામા એક યુવતી સાથે એક યુવાન ૨૪મીએ રાત્રે ઉતરીને પગપાળા દેખાઇ આવ્યો હતો. આ યુવતી અને મૃતકે પહેરેલાં કપડાં એક જ હોઇ નંદુરબાર પોલીસને આ યુવાન ઉપર શંકા જાગી હતી. થોડાંક કલાક બાદ નંદુરબાર રેલવે સ્ટેશન ઉપરથી આ શખ્સ સુરત આવતી ટ્રેનમાં એકલો જ બેસતો જણાતા મામલો સ્પષ્ટ થઇ ગયો હતો. નંદુરબાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ને જાણ કરતાં બંને ટીમ આ ફૂટેજ વાળા શખ્સને પકડવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંડવીના કરંજ ગામે આવેલાં પટેલ કોમ્પલેક્ષના બીજાં માળે રાત્રે વાગ્યે છાપો મારી ૩૮ વર્ષીય વિનયકુમાર રામજનમ રાયને દબોચી લીધો હતો. બિહારનો વતની વિનયકુમાર બે સંતાનોનો પિતા છે. પત્ની અને બાળકોને વતન મૂકી તે માંડવીના કરંજ ગામે રહી કારખાનામાં નોકરી કરતો હતો. છેલ્લાં કેટલાંક સમયથી તે નજીકના છપરા જિલ્લાની ૨૩ વર્ષીય સીતા સનદકુમાર ભગત સાથે પ્રેમમાં પડયો હતો. તે વારંવાર ફોન કરી લઇ જવા જણાવતી હત્યાના દસ દિવસ પહેલાં તે સીતાને લઇ આવ્યો હતો. અહીં આવ્યા બાદ સીતા લગ્ન માટે દબાણ કરતી હતી. અગાઉના પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી ચૂકેલી સીતા લગ્ન નહિ કરે તો વિનયની વિરુદ્ધમાં ગુનો નોંધાવવાની ધમકી આપતી હોઇ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. ૨૪મીએ બપોરે ફરવા લઇ જવાને બહાને તે કરંજથી સીતાને લઇને નીકળ્યો હતો. પહેલી રીક્ષામાં બેસીને કામરેજના ફેક્ટરી આઉટલેટની દુકાનમાં જઇ પોતાની માટે કપડાં ખરીદ્યા હતા. ત્યાંથી જ શર્ટ બદલી નવી ખરીદેલી ટી-શર્ટ પહેરી હતી. કામરેજથી કાપોદ્રા સુધી અને કાપોદ્રાથી સ્ટેશન માટે વધુ બે રીક્ષા બદલી હતી. સુરતથી ટ્રેન પકડી તે નંદુરબાર પહેલાં આવતા ડેકવડ ગામે ટ્રેન સ્લો થતાં ઉતરી ગયો હતો. અહીં અવાવરું ઝાડીમાં શારિરીક સંબંધ બાંધ્યા બાદ સાથે લાવેલી હેક્સો બ્લેડ વડે ગળું કાપી નાંખ્યું હતું. ઝપાઝપીમાં તેને પણ હાથમાં ઇજા થઇ હતી. રાજ્યમાં ક્રાઈમનો રેસિયો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે નંદુરબારમાં યુવતીની ગળું કાપી થયેલી ઘાતકી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં પ્રેમીએ જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ગત મધરાત્રે બે વાગ્યે માંડવીમાં ઓપરેશન હાથ ધરી બિહારી યુવાનને દબોચ્યો હતો.