મુંબઇ-

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBI તપાસ માટે મંગળવારે સવારે 10 વાગ્યે હાજર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં રિયાની લગભગ 35 કલાક પૂછપરછ કરવામાં આવી છે. ગૌરવ આર્ય ડ્રગ કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર પણ છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 75 દિવસ વીતી ગયા છે. દેશની ઉચ્ચ તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસમાં તપાસ કરી રહી છે. સુશાંતની મોત અને રિયા ચક્રવર્તી વચ્ચેના સંબંધો ઉપરાંત આ કેસમાં ડ્રગ કનેક્શન અંગે પણ અટકળો ચાલી રહી છે. CBI તમામ પાસાઓની તપાસ કરી રહી છે. પૈસાના વ્યવહાર અને આર્થિક પાસાઓની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની પણ તપાસ ચાલી રહી છે. CBI મગંળવારે સતત પાંચમાં દિવસે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે.