અંક્લેશ્વર

અંકલેશ્વર ના જુના બોરભાઠા નર્મદા નદી કિનારે થી ૨૧ વર્ષીય પરિણીત યુવતીનો મૃતદેહ રહસ્ય મય રીતે મળી આવ્યો હતો,યુવતી નું નદી ના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતુ, પોલીસ દ્વારા યુવતી ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકા ના જુના બોરભાઠા ગામ નર્મદા નદી માંથી માછીમારો એ એક યુવતીનો મૃતદેહ નદી કિનાર પર લાવ્યા હતા અને નજીક માં તપાસ કરતા યુવતી નું પર્સ અને મોબાઈલ મળી આવ્યા હતા.જેના પરથી યુવતીની ઓળખ થઈ હતી.જે અંગે સ્થાનિકો દ્વારા શહેર પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો , અને તપાસ કરતા યુવતી નું નામ રિના ધવલકુમાર ટેલર ઉ.વ.૨૧ હોવાનું બહાર આવ્યુ હતુ, અને યુવતી હાંસોટ તાલુકા ના ખરચ ગામની હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસ દ્વારા યુવતી ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો , અને યુવતી ના લગ્ન ૧૧ મહિના અગાઉ જ થયા હોવાનું જાણવા મળ્યુ હતુ. વધુમાં યુવતી એ નદી ના ઉંડા પાણીમાં આપઘાત કર્યો છે કે તેણી ની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કરવામાંઆવ્યા છે.